મંગળવાર, મે 22, 2012

DEMENTIA -------ચિત્તભ્રમ



સાંપ્રત સમયની અત્યંત ગંભીર અને તીવ્રતાથી આગળ ધપી રહેલી આ એક મહામારી છે.

દર ચાર સેકન્ડે એક વ્યક્તિ વિશ્વમાં આ રોગનો શિકાર બની રહી છે. ભારતમાં દશ ટકા લોકો આ વ્યાધિનો શિકાર બની રહ્યા છે. AMNETIA માણસના મગજના ઘણા વિકારો આ રોગ માટે જવાબદાર છે. આ રોગને કારણે ક્યારેક ધીમે ધીમે કે ક્યારેક અતિ ઝડપથી મગજનો ક્ષય થાય છે અને આખરે વ્યક્તિને સ્થાન અને સમયનું ભાન રહેતું નથી. ક્યારેક રોગી ભાષાને સમજી શકે છે તો ક્યારેક બિલકુલ નહિ. સ્વજનોને પણ તે વ્યક્તિ ઓળખી શક્તિ નથી. દૈનિક ક્રિયાઓ દર્દી માટે અસંભવ બની જાય છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં અંદાજે ૩.૫ કરોડ લોકો ડિમેન્શિયાગ્રસ્ત છે, જે પૈકી ૩૭ લાખ લોકો ભારતના છે. WHO નાં નવીનતમ રીપોર્ટ અનુસાર ૭૦ લાખ લોકો દર વર્ષે આ રોગની ઝપટમાં આવતા જાય છે. WHO નાં રિપોર્ટ મુજબ સન ૨૦૩૦ સુધીમાં ૬ કરોડ લોકો અને સન ૨૦૫૦ સુધીમાં લગભગ ૧૫ કરોડ લોકો આ બિમારીની ઝપટમાં આવી ગયા હશે. કેટલાક અપવાદ બાદ કરતા આ રોગ સાઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓમાં વ્યાપક રૂપે જોવા મળે છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં વ્યક્તિગત આયુષ્ય લાંબુ છે માટે આ દેશોમાં આ રોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

જન્મથી મૃત્યુ પર્યંત મગજ ક્રિયાશીલ રહેતું હોય છે. તે આપણા શરીર અને મન દ્વારા થતી પ્રક્રિયાઓને સંચાલિત કરે છે અને વળી તેના વડે પ્રભાવિત પણ થાય છે. મગજ નામના આ યંત્રને વ્યાયામ અને વિશ્રામ બંનેની આવશ્યકતા રહે છે. નિયમિત રૂપે થતી સ્વાભાવિક અને આવશ્યક એવી શારીરિક અને માનસિક ક્રિયાઓ મગજ માટે વિશ્રામની અવસ્થા છે. અને અન્વેષણ, સર્જન જેવી ક્રિયાઓ તેને માટે વ્યાયામ છે. વ્યર્થ ચિંતાઓ અને માનસિક ઘોઘાટ એ મગજ માટે બોજ છે.
ટી.વી. ની વિવિધ ચેનલોના પ્રોગ્રામ, જાહેરાતો, રેડિયોની F.M. ચેનલો, SOCIAL NETWORKING SITES એ નથી મગજને વિશ્રામ આપતા કે નહિ વ્યાયામ. કેવળ એક અજંપો.

ઓશો કહે છે, કે માણસની ઉમર વધે તેની સાથોસાથ મગજની ક્ષમતા ઘટે એ જરૂરી નથી. મગજ જીવનની અંતિમ પળ પર્યંત તરોતાજા અને યુવાન રહી શકે છે. જરૂરત છે કેવળ મૌન કેળવવાની. માનસિક અને વાચિક બન્ને. વ્યક્તિએ આ કળામાં પારંગત બનવાની જરૂર છે. દિવસમાં કમ સે કમ કેટલીક ક્ષણ માટે તો માણસે મૌનમાં ડૂબકી લગાવવી જોઈએ. ક્રમશ: જેમ જેમ આ કળામાં માણસ નિપૂણતા હાંસલ કરતો જશે જશે તેમ તેમ માણસને ખબર પણ નહિ રહે કે તેનું મન કેટલીક ક્ષણો માટે વિરામમાં અને વિશ્રામમાં હતું. અને તેનું મગજ એક અલૌકિક વિશ્રામની અનુભૂતિ કરશે.
વિશ્રામ પછી માણસનું મગજ એકદમ એક આયના સમાન સ્પષ્ટ, શુદ્ધ અને ઉર્જાથી ભરપુર હશે.

કેનેડામાં થયેલી એક ક્લીનીકલ રીસર્ચનું તારણ એવું છે કે જે માણસ માતૃભાષા ઉપરાંત બીજી ભાષાનું જ્ઞાન ધરાવતો હોય તો તેને DEMENTIA થવાની સંભાવના ઘટી જાય છે. આ નિષ્કર્શનું વિશ્લેષણ એવું છે કે જયારે માણસ બીજી ભાષાનો પ્રયોગ કરતો હોય ત્યારે મગજ માટે વિશ્રામ અને વ્યાયામની એક લય ચાલે છે. માણસ જયારે બીજી ભાષા નો પોતાની માતૃભાષામાં અનુવાદ કરતો હોય ત્યારે વ્યાયામની પ્રક્રિયા ચાલે છે અને વચમાં જે ક્ષણ રહી જાય છે તેમાં વિશ્રામની અવસ્થા અજાણપણે જ પ્રાપ્ત થઇ જાય છે.

ઘણી પથીઓ મથી પણ હજુ આ દર્દની દવા મળી નથી.

ચાલો આપણે મૌન થઇ જઈએ, આનંદિત થઇ જઈએ અને DEMENTIA ને બાય બાય કરી દઈએ!


ભાર્ગવ અધ્યારૂ



સાભાર: યસ ઓશો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો