બુધવાર, જુલાઈ 24, 2013

પ્રાર્થનાનું બળ :


દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થનાનું શરણું લેવામાં આવે છે. અગાઉના સમયમાં માંદગીને ભૂત-પ્રેતના વળગાડ સાથે જોડી દેવામાં આવેલી. ગ્રીક ફીઝીસિયન ડો. હિપોક્રેટ એ પહેલા ફીઝીસિયન હતા જેમણે પ્રસ્થાપિત કર્યું અને સમાજ સમક્ષ સત્યને ઉજાગર કર્યું કે માંદગી શરીરમાં વિષમ દ્રવ્યો પેદા થવાને કારણે થાય છે. તેની સારવાર માટે શરીરના કોઈ એક અંગને મહત્ત્વ ન આપતા સમગ્ર શરીરને ટ્રીટ કરવું જોઈએ. પ્રાર્થના પણ એક અમોઘ દવા છે જે શરીર અને મનને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.

કેલીફોર્નીયા યુનિ. ના કાર્ડીઓલોજીસ્ટ ડો. રાન્ડોલ્ફ બિરદે આ દિશામાં વિચાર્યું અને તેઓ એવા તારણ પર આવ્યા કે દર્દીને સાજો કરવામાં પ્રર્થના એક ખૂબ જ પ્રબળ ફોર્સ છે. તેમને પ્રાર્થનાના હિલિંગ પાવરને જાણવા કેટલાક પ્રયોગો કર્યા જેનાં તારણો ચોકાવનારા નીકળ્યા. કેટલાક તારણો જોઈએ.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને અન્ય દર્દીઓ કરતાં antibiotics ની જરૂર પાંચ ગણી ઓછી પડી હતી.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને ન્યુમોનિયા અને હાર્ટ ફેઈલની ભીતિ બીજા દર્દીઓ કરતાં ત્રણ ગણી ઓછી હતી.

· જે દર્દીઓ માટે દુઆ કરવામાં આવેલી તેમને ventilator નો સહારો લેવો પડ્યો ન હતો જયારે જેમને માટે માટે પ્રાર્થના કરવામાં ન હતી આવી તે સમુદાયે ventilator નો સહારો અવશ્ય લેવો પડ્યો હતો.

· જેમના માટે પ્રાર્થના કરવામાં આવલી તેમનો મૃત્યું આંક બીજા દર્દીઓ કરતાં ઘણો ઓછો હતો.

પ્રાર્થના પર કરવામાં આવેલા અભ્યાસનું એક તારણ જે બહુ મહત્વ નું નીકળ્યું એ એવું હતું કે જેને માટે પ્રાર્થના કરવામાં આવે છે અને જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે બંને વચ્ચેનું અંતર કોઈ જ મહત્વ ધરાવતું નથી. આમ પ્રાર્થનાની શક્તિ radio energy અને electro magnetic enrgy ને પણ ટપી ગઈ.

સ્પીનદ્રીફ નામની એક સંસ્થાએ પ્રાર્થના ઉપર કેટલાક પ્રયોગો અને સંશોધનો કર્યા અને તેના દ્વારા જે પરિણામો બહાર આવ્યા તે પ્રાર્થનાના બળની પુષ્ટિ કરે છે. તે સંસ્થાએ જૈવિક પદાર્થ માટે જવનો ઉપયોગ કર્યો. જવના બીજોને તેઓએ બે ભાગમાં વહેંચી નાખ્યા. બંને બિયારણને એક જ સરખી માટી અને ખાતરમાં વાવ્યા. એક ગ્રુપને પ્રાર્થનાનું બળ પૂરું પાડવામ આવ્યું જયારે બીજાને નહિ. જે બિયારણ માટે પ્રાર્થના કરવામાં આવેલી તેમાં વધુ સંખ્યામાં ફણગા ફૂટ્યા. તેઓએ આ પ્રયોગોનું અનેક વખત પુનરાવર્તન કર્યું અને પરિણામો એક જ સરખા પ્રાપ્ત થયાં. હવે એક બીજી વાત કે સામાન્ય રીતે પ્રાર્થના અસ્વસ્થ વ્યક્તિ માટે મોટે ભાગે કરવામાં આવતી હોય છે. કોઈક તારણ પર આવવું જરૂરી હતું. માટે કૃત્રિમ રીતે stress ઊભો કરવા મીઠાનું ખારું પાણી એક ગ્રુપના બિયારણને આપવામાં આવ્યું જયારે બીજા ગ્રુપને નહિ. બંને ગ્રુપને માટે પ્રાર્થના કરવામાં આવી. પરિણામો ચોંકાવનારા હતા. ખારા પાણીમાં રાખેલા બિયારણ પર પ્રાર્થનાની વધુ અસર જોવા મળી. તે બીજોનું અંકુરણ વધુ હતું. સંશોધન કર્તાઓએ મીઠાનું પ્રમાણ વધારતા જઈને પ્રયોગો આગળ વધાર્યા. જેમ જેમ મીઠાની સાંદ્રતા વધારતા ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ જોવા મળી. મતલબ એ જ કે નિરોગી જીવ કરતાં રોગી જીવ પર પ્રાર્થનાની અસર વધુ થાય છે. ત્યારબાદ કૃત્રિમ રીતે stress ઉત્પન્ન કરવા સંશોધનકર્તાઓએ તાપમાન અને ભેજ વધાર્યા. પરિણામો ઉપર મુજબના જ મળ્યા. પ્રાર્થનાના સમયમાં જેમ જેમ વધારો કરતાં ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ થવા લાગી. આ અભ્યાસ ઉપરથી બે તારણો સ્પષ્ટ થયાં. એક તો, નિરોગી જીવ કરતાં રોગીષ્ટ જીવ પર પ્રાર્થનાની અસર વધુ જોવા મળે છે અને બીજું એ કે જેટલા વધુ સમય માટે પ્રાર્થના કરવામાં આવે તેમ તેની દર્દી પર અસરકારકતા વધે છે અને દર્દી જલ્દી આરોગ્યને પ્રાપ્ત કરે છે.

આપણા ઋષિ મુનિઓના સમયથી ઉપરના તારણો સાબિત થયેલા જ છે. પ્રાચીન સમયથી એક કહેવત પ્રચલિત છે કે દર્દીને નિરોગી બનાવવા દવા અને દુઆ બંનેની આવશ્યકતા છે અને દવા કરતાં દુઆ જલ્દી કામ કરે છે અને કાયમી ધોરણે કરે છે.

પણ, આપણે પરદેશથી આયાત થયેલી ચીજો અને તારણોના મોહતાજ છીએ. કેવી કરુણતા !!!!!!



ભાર્ગવ અધ્યારૂ



“Speaking Tree” માં લખેલા મારા બ્લોગનો ગુજરાતી ભાવાનુવાદ.

1 ટિપ્પણી: