શનિવાર, જુલાઈ 27, 2013

RUCHA: તિલકનું તિકડમ

RUCHA: તિલકનું તિકડમ: ખુબ જ જાણીતી પંક્તિ  "તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર." તિલક આપણા આજ્ઞા ચક્ર અથવા ત્રીજા નેત્રની ઉપર કરીએ છીએ . આધ્યાત્મિક મ...

બુધવાર, જુલાઈ 24, 2013

RUCHA: પ્રાર્થનાનું બળ :

RUCHA: પ્રાર્થનાનું બળ :: દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થ...

પ્રાર્થનાનું બળ :


દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થનાનું શરણું લેવામાં આવે છે. અગાઉના સમયમાં માંદગીને ભૂત-પ્રેતના વળગાડ સાથે જોડી દેવામાં આવેલી. ગ્રીક ફીઝીસિયન ડો. હિપોક્રેટ એ પહેલા ફીઝીસિયન હતા જેમણે પ્રસ્થાપિત કર્યું અને સમાજ સમક્ષ સત્યને ઉજાગર કર્યું કે માંદગી શરીરમાં વિષમ દ્રવ્યો પેદા થવાને કારણે થાય છે. તેની સારવાર માટે શરીરના કોઈ એક અંગને મહત્ત્વ ન આપતા સમગ્ર શરીરને ટ્રીટ કરવું જોઈએ. પ્રાર્થના પણ એક અમોઘ દવા છે જે શરીર અને મનને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.

કેલીફોર્નીયા યુનિ. ના કાર્ડીઓલોજીસ્ટ ડો. રાન્ડોલ્ફ બિરદે આ દિશામાં વિચાર્યું અને તેઓ એવા તારણ પર આવ્યા કે દર્દીને સાજો કરવામાં પ્રર્થના એક ખૂબ જ પ્રબળ ફોર્સ છે. તેમને પ્રાર્થનાના હિલિંગ પાવરને જાણવા કેટલાક પ્રયોગો કર્યા જેનાં તારણો ચોકાવનારા નીકળ્યા. કેટલાક તારણો જોઈએ.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને અન્ય દર્દીઓ કરતાં antibiotics ની જરૂર પાંચ ગણી ઓછી પડી હતી.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને ન્યુમોનિયા અને હાર્ટ ફેઈલની ભીતિ બીજા દર્દીઓ કરતાં ત્રણ ગણી ઓછી હતી.

· જે દર્દીઓ માટે દુઆ કરવામાં આવેલી તેમને ventilator નો સહારો લેવો પડ્યો ન હતો જયારે જેમને માટે માટે પ્રાર્થના કરવામાં ન હતી આવી તે સમુદાયે ventilator નો સહારો અવશ્ય લેવો પડ્યો હતો.

· જેમના માટે પ્રાર્થના કરવામાં આવલી તેમનો મૃત્યું આંક બીજા દર્દીઓ કરતાં ઘણો ઓછો હતો.

પ્રાર્થના પર કરવામાં આવેલા અભ્યાસનું એક તારણ જે બહુ મહત્વ નું નીકળ્યું એ એવું હતું કે જેને માટે પ્રાર્થના કરવામાં આવે છે અને જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે બંને વચ્ચેનું અંતર કોઈ જ મહત્વ ધરાવતું નથી. આમ પ્રાર્થનાની શક્તિ radio energy અને electro magnetic enrgy ને પણ ટપી ગઈ.

સ્પીનદ્રીફ નામની એક સંસ્થાએ પ્રાર્થના ઉપર કેટલાક પ્રયોગો અને સંશોધનો કર્યા અને તેના દ્વારા જે પરિણામો બહાર આવ્યા તે પ્રાર્થનાના બળની પુષ્ટિ કરે છે. તે સંસ્થાએ જૈવિક પદાર્થ માટે જવનો ઉપયોગ કર્યો. જવના બીજોને તેઓએ બે ભાગમાં વહેંચી નાખ્યા. બંને બિયારણને એક જ સરખી માટી અને ખાતરમાં વાવ્યા. એક ગ્રુપને પ્રાર્થનાનું બળ પૂરું પાડવામ આવ્યું જયારે બીજાને નહિ. જે બિયારણ માટે પ્રાર્થના કરવામાં આવેલી તેમાં વધુ સંખ્યામાં ફણગા ફૂટ્યા. તેઓએ આ પ્રયોગોનું અનેક વખત પુનરાવર્તન કર્યું અને પરિણામો એક જ સરખા પ્રાપ્ત થયાં. હવે એક બીજી વાત કે સામાન્ય રીતે પ્રાર્થના અસ્વસ્થ વ્યક્તિ માટે મોટે ભાગે કરવામાં આવતી હોય છે. કોઈક તારણ પર આવવું જરૂરી હતું. માટે કૃત્રિમ રીતે stress ઊભો કરવા મીઠાનું ખારું પાણી એક ગ્રુપના બિયારણને આપવામાં આવ્યું જયારે બીજા ગ્રુપને નહિ. બંને ગ્રુપને માટે પ્રાર્થના કરવામાં આવી. પરિણામો ચોંકાવનારા હતા. ખારા પાણીમાં રાખેલા બિયારણ પર પ્રાર્થનાની વધુ અસર જોવા મળી. તે બીજોનું અંકુરણ વધુ હતું. સંશોધન કર્તાઓએ મીઠાનું પ્રમાણ વધારતા જઈને પ્રયોગો આગળ વધાર્યા. જેમ જેમ મીઠાની સાંદ્રતા વધારતા ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ જોવા મળી. મતલબ એ જ કે નિરોગી જીવ કરતાં રોગી જીવ પર પ્રાર્થનાની અસર વધુ થાય છે. ત્યારબાદ કૃત્રિમ રીતે stress ઉત્પન્ન કરવા સંશોધનકર્તાઓએ તાપમાન અને ભેજ વધાર્યા. પરિણામો ઉપર મુજબના જ મળ્યા. પ્રાર્થનાના સમયમાં જેમ જેમ વધારો કરતાં ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ થવા લાગી. આ અભ્યાસ ઉપરથી બે તારણો સ્પષ્ટ થયાં. એક તો, નિરોગી જીવ કરતાં રોગીષ્ટ જીવ પર પ્રાર્થનાની અસર વધુ જોવા મળે છે અને બીજું એ કે જેટલા વધુ સમય માટે પ્રાર્થના કરવામાં આવે તેમ તેની દર્દી પર અસરકારકતા વધે છે અને દર્દી જલ્દી આરોગ્યને પ્રાપ્ત કરે છે.

આપણા ઋષિ મુનિઓના સમયથી ઉપરના તારણો સાબિત થયેલા જ છે. પ્રાચીન સમયથી એક કહેવત પ્રચલિત છે કે દર્દીને નિરોગી બનાવવા દવા અને દુઆ બંનેની આવશ્યકતા છે અને દવા કરતાં દુઆ જલ્દી કામ કરે છે અને કાયમી ધોરણે કરે છે.

પણ, આપણે પરદેશથી આયાત થયેલી ચીજો અને તારણોના મોહતાજ છીએ. કેવી કરુણતા !!!!!!



ભાર્ગવ અધ્યારૂ



“Speaking Tree” માં લખેલા મારા બ્લોગનો ગુજરાતી ભાવાનુવાદ.

શુક્રવાર, જુલાઈ 19, 2013

RUCHA: માતૃભાષાનો મહિમા

RUCHA: માતૃભાષાનો મહિમા: "માતૃભૂમિ, સંસ્કૃતિ અને માતૃભાષા આદરણીય છે કારણકે તે પરમ આનંદ આપનારી છે."                                                       ...

શનિવાર, જુલાઈ 13, 2013

RUCHA: અભિનય સમ્રાટ ------પ્રાણ

RUCHA: અભિનય સમ્રાટ ------પ્રાણ: પ્રાણ એટલે જીવન. અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ. છ...

રવિવાર, જુલાઈ 07, 2013

RUCHA: સરકારે ટેક્સ કેવી રીતે વસૂલવો?

RUCHA: સરકારે ટેક્સ કેવી રીતે વસૂલવો?: સરકારે પ્રજા પાસેથી કર કેવી રીતે વસૂલવો તેનું વર્ણન મહાભારતનામાં ઉદાહરણો સાથે ખૂબ જ સુંદર  રીતે કરવામાં આવ્યું છે. બાણશૈયા પર સૂતેલા શ...

દેવકુટીર -૧ ના હોળી મહોત્સવના ફોટા

આ વર્ષે ફાગણ માસમાં દેવકુટીર બંગલોઝ -૧ માં હોળીના ઉત્સવનો અનેરો આનંદ સોસાયટીના રહીશોએ માણ્યો. 

To see the photographs log on to:http://tripwow.tripadvisor.com/tripwow/ta-077d-da7c-18c4

સરકારે ટેક્સ કેવી રીતે વસૂલવો?


સરકારે પ્રજા પાસેથી કર કેવી રીતે વસૂલવો તેનું વર્ણન મહાભારતનામાં ઉદાહરણો સાથે ખૂબ જ સુંદર  રીતે કરવામાં આવ્યું છે.
બાણશૈયા પર સૂતેલા શ્રી ભીષ્મપિતા યુધિસ્થીરને કહે છે:-
રાજાએ પ્રજાના હિતને સૌ પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. દેશ, કાળ, બુદ્ધિ અને બળને અનુસરીને પ્રજાપાલન કરવું જોઈએ. રાજાએ એવા પ્રકારના કર્યો કરવા જોઈએ કે જેથી ફક્ત પોતાનું જ નહિ પણ સાથોસાથ પ્રજાનું પણ કલ્યાણ થાય.

ભમરાઓ જેમ ફૂલમાંથી મધને ચૂસે છે તે રીતે રાજાએ રાષ્ટ્રના પ્રજાજનોને દુઃખ દીધા વિના કર વસૂલવો જોઈએ. ગોપાલક ગાયને સંપૂર્ણપણે નીચોવીને દૂધ દોહી લેતો નથી પણ ગાયના વાછરડા માટે પણ દૂધ શેષ રહેવા દે છે. તે જ રીતે રાજાએ પ્રજાને એટલી હદે ના નીચોવવી જોઈએ કે જેથી પ્રજાને ખાવાના પણ ફાંફા પડી જાય. રાજાએ જળોના જેવું થવું; જાળો જેમ કોમળ દંશ દઈને લોહીને ચૂસી લે છે, તેમ રાજાએ કોમળ ઉપાયોની યોજના કરીને પ્રજા પાસેથી કર વસૂલવો જોઈએ. વાળી વાઘણ જેમ પોતાના બચ્ચાને દાંત વડે પકડીને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જાય છે પણ બચ્ચાને સહેજેય પીડા ઉપજાવતી નથી તે પ્રમાણે રાજાએ જનતા પાસેથી કર લેવો જોઈએ. વધુ એક દ્રષ્ટાંત આપતા પિતામહ કહે છે જેમ નિદ્રાધીન મનુષ્યને પ્રથમ ફૂંક મારીને હળવી પીડા થાય તે રીતે ઉંદર કોચી ખાય છે તેમ કોમળ ઉપાયોની યોજના કરીને કર સંપાદન કરવું જોઈએ.

પ્રથમ થોડો કર નાખી પ્રજા પાસેથી ધન લેવું અને ધીરે ધીરે પ્રજાને ભારે ના પડે તે રીતે કરમાં વૃદ્ધિ કરતા જવું. રાજાએ પહેલા તો આગેવાન નાગરિકો પાસથી કર વસુલાત શરુ કરવી અને પછી સામાન્ય નાગરિકોને કર આપતા કરી દેવા. રાજાએ પ્રજાની સાથે કપટ કરી અયોગ્ય રીતે અને અયોગ્ય સમયે કર ના લેવો કારણકે તેમ કરવમાં રાજાએ પ્રજાનો કોપ  અવશ્ય  સહન કરવો પડે છે.

રાજાનો ધર્મ છે કે તેણે મદ્યશાળા , વેશ્યાઓ, દેહવિક્રય માં વ્યસ્ત દલાલો ,  ધર્મહિંસક દુરાચારીઓ , જુગારીઓ, દેશદ્રોહીઓ એ સર્વને નિયમનમાં રાખવા અન્યથા તેઓ સમગ્ર રાજ્યને અને જનસામાન્યને નીતિ ભ્રષ્ટ કરે છે. સારાંશ એ જ કે રાજાએ દુરાચાર આચરી શકાય એવા પાપસ્થાનકો  થવા દેવાં જ નહિ કારણકે તેમાં આસક્ત થયેલો પુરુષ કેવળ સર્વ અકાર્ય જ કરે છે.  અને તેનાથી રાજ્યનો વિનાશ જ થાય છે. 
રાજાએ ખાસ ધ્યાન રાખવું કે તેમના રાજ્યમાં યાચકો અને લુટારુઓ ક્યારેય પ્રવૃત ના થાય. કેમકે તેઓ પ્રજા પાસેથી ધનનું હરણ કરનારાં જ છે અને આ વસ્તુ રાજ્ય માટે કલ્યાણકારી નથી.
રાજ્યના જે અધિકારીઓ નો ઈરાદો ફક્ત અને ફક્ત નાગરિકો પાસેથી ધન કઢાવવાનો જ હોય તેઓને રાજાએ અવશ્ય શિક્ષા કરવી. અને આવા ભ્રષ્ટ અધિકારીઓ પર અન્ય અધિકારીઓ દ્વારા દેખરેખ રખાવવી.

રાજ્યમાં નિવાસ કરતા ધનવાન પુરુષો રાજ્યનું એક મોટું અને અવિભાજ્ય અંગ ગણાય છે માટે ધનવાનોને નિરંતર મન આપવું.

વેપારીઓ પર કર નાખતાં પહેલાં તેઓનો વેપાર કેવી રીતે ચાલે છે, તેઓની શી આવક થાય છે, તેઓ કયે માર્ગે વેપાર કરે છે, વેપારમાંથી તેઓના પરિવારોનો જીવન નિર્વાહ યોગ્યરીતે થાય છે કે નહિ તે તમામ બાબતોની તપાસ કરીને તેઓના ઉપર યથાયોગ્ય કર નાખવો. કારણકે મહદ અંશે અધિકારીઓ મદોન્મત બનીને વેપારીઓને ચૂસી લેવાની વૃત્તિવાળા હોય છે. સારાંશ કે જે પ્રકારની યોજનાથી પ્રજાનો નાશ ના થઇ જાય તે પ્રકારે રાજાએ કર લેવો.

રાજાએ  તૃષ્ણાધીન  થઈને કર લાદવાને બદલે તમામ પરિસ્થિતિઓનો ક્યાસ કાઢ્યા બાદ કર લાદવો. પોતાની લોભવૃત્તિ  વશમાં રાખીને નાગરિકો પ્રત્યે પ્રીતિ દેખાડવી.; કેમકે સર્વભક્ષક તરીકે કુખ્યાત થયેલો રાજા પ્રજાઓના દ્વેષનું પાત્ર બને છે. ગાયની માફક જો રાજ્યને અત્યંત દોહવામાં આવે, તેમાંથી સંપૂર્ણ રસકસ ખેંચી લેવામાં આવે તો  અતિ મોટું રાજ્ય પણ નિર્બળ બની જાય છે. અર્થાત કરના અતિશય બોજથી પ્રજા નિર્માલ્ય અને નીરુદ્યમી બની જાય છે.

જે જે નગરવાસીઓ, દેશવાસીઓ, આશ્રિતો અને ઉપાશ્રિતો અલ્પ ધનવાળા હોય તેઓને રાજાએ યથાશક્તિ ધન આપીને વેપારમાં સહાય કરવી. વેપારીઓને વારંવાર ધીરજ આપ્યા કરવી, તેઓનું રક્ષણ કરવું, દાન આપવું, રાજ્યમાં રહેવા માટે તેઓને વ્યવસ્થા કરી આપવી અને પોતાની સંપત્તિના ભાગીદાર ગણીને તેઓનું પ્રિય કરવું. તેઓનાથી ઉપાડી શકાય તેવા કોમળ કરો લેવા માટે જ રાજાએ સાવધાન રહેવું.
*******

આજના રાજાઓ અર્થાત રાજકારણીઓ અને રાજ્યના વિવિધ વિભાગના અધિકારીઓ  રૈયતના મૃત શરીર પર બેસી મીઠાઈની  મિજબાની ઉડાવી રહ્યા છે.  તમામ ગોરખ ધંધાઓ ચરમ સીમા પર છે. ભ્રષ્ટ અધિકારીઓ પર નજર રાખનારા અધિકારીઓ  વધુ ભ્રષ્ટાચારી છે. કોણ કોને નાથે? બધાની મિલીભગત છે અને  “A STUPID COMMON MAN”  લાચારીથી અને ભયથી આ તમાશો જોઈ રહ્યો છે.
પ્રભુ! જન્માષ્ટમી બહુ દૂર નથી , હવે તો संभवामि युगे युगे નો વાયદો પાળો. કારણકે તમારે અવતરવાની આ શ્લોકની બધી  “CONDITIONS” ફૂલ્ફીલ થઇ ગઈ છે.

ભાર્ગવ અધ્યારૂ 


ગુરુવાર, જુલાઈ 04, 2013

RUCHA: શ્રી નારાયણ કવચ

RUCHA: શ્રી નારાયણ કવચ: શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે ...

શ્રી નારાયણ કવચ







શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે.

વિશ્વરૂપ કહે છે જયારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથપગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખતર ધારણ કરવું.

નારાયણ કવચ:

ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો.

જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.

અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.

અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.

સનત્કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે, તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો.

ભગવાન ધન્વન્તરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિનાં ભયમાંથી મારી રક્ષા કરો. યગ્યાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો.

ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળનાં મળરૂપ કળીયુગથી મારી રક્ષા કરો.

કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્તશક્તિ નારાયણ ભગવાન પ્રાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો.

મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મુર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હૃષીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો.

શ્રીવત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેષર સૂર્યોદય પહેલાનાં કાળમાં મારી રક્ષા કરો.

હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષણ ધારવાળા ચક્ર ! ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો.

હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો.

હે પાંચજન્ય શંખરાજ ! શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ , માંતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો.

હે તીક્ષ્ણ ધારવાળી તલવાર! તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ ! તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરિ લો.

અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો.

બૃહદ્રથંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ્ક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો.

શ્રીહરિના નમ, રૂપ, વાહન અને આયુધો, સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો.ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો.

આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો.

અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો.

નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં ઊંચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો.



નારાયણ કવચનું ફળકથન:

વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર ! આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનાં તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી.


-------ભાર્ગવ અધ્યારુ 


સંદર્ભ: શ્રીમદ ભાગવતપીયુષ , શ્રી કૃષ્ણનિધિ, સોલા, અમદાવાદ.