ગુરુવાર, માર્ચ 29, 2012

" कुर्यात सदा मंगलम "

દામ્પત્ય ઋચા
                                                                   
 સંસારપ્રવેશ માટે કટિબદ્ધ થયેલા યુવકના હાથમાં લગ્નપ્રસંગે  શ્રીફળ શા માટે મુકાતું હશે?
શ્રીફળ સાફલ્યનું પ્રતિક છે. ઉપરથી કઠોર હોવા છતાં ભીતરથી મૃદુ અને મધુર શ્રીફળ કહે છે કે મુસીબતોનો દ્રઢતા અને હિંમતથી સામનો કરીશ તો જ સુખ, શાંતિ અને આનંદની મધુરતા મળશે.
                                                                                                                      

લગ્ન  એટલે સ્ત્રીપુરુષના જીવનની જોડણી, ગૃહસ્થાશ્રમની દીક્ષા.
ઈશ્વરપ્રેમ અને વિશ્વપ્રેમ તરફની નરનારીની પ્રગતિનું મહત્ત્વનું સોપાન એટલે લગ્ન.
સુખદુઃખમાં સાથે ભાગીદાર બની, જીવતરના તોફાનો સામે અડીખમ ઊભું રહેતું  અને આગળ ધપતું ભાવ્યોન્નત સહજીવન એટલે લગ્ન.

તમારા પતિને તેમના વ્યવસાયિક કામકાજમાં પૂરી સ્વતન્ત્રતા આપજો. તેમના સાથીઓ વિષે કે  તેમના આવવા જવાના સમય વિષે ટીકા કરી ગૃહસ્થજીવન કડવું ન બનાવશો.
તમારા ઘરને રસિક, આકર્ષક અને સુશોભિત બનાવવા માટે શક્ય તમામ કોશિશ કરજો.
પતિને સહાયરૂપ થવા પતિના કામમાં રસ લેજો અને સમજણ કેળવજો .
આર્થિક ભીંસ હોય ત્યારે પણ હિંમતપૂર્વક સ્મિતભર્યા ચહેરા સાથે પતિની ભૂલ કાઢ્યા વિના ઘર ચાલવી જાણજો. તો, તમારો ઉભયપ્રેમ ઉતરોત્તર વધતો જશે.

તમે જો તમારી ક્ષતિઓ, ઉણપો, અપૂર્ણતાઓની બાબતમાં સજાગ અને નિખાલસ હશો તો દામ્પત્યજીવનમાં એકબીજાને અનુકૂળ થવાના માર્ગો શોધી વિકસાવી શકશો. 
વાસ્તવિકતાના સ્વીકાર પર રચાયેલું દામ્પત્યજીવન જ સફળ બની શકે છે.
ઘણી વાર દામ્પત્યજીવનની જવાબદારીઓનો પડકાર ઘણી એવી અપ્રગટ શક્તિઓને વિકસાવી શકે  છે.

પત્ની એટલે આત્મવિસર્જનની આભા, પવિત્રતાની પ્રતિમા. એનું જીવન ગૃહકાર્યમગ્ન હોય અને એનું હૃદય પતિના સુખે સુખી થવામાં રાચતું હોય. જીવન-વિગ્રાહથી થાકેલા પતિને સ્નેહ્ફૂલડે ઉલ્લાસિત કરવામજ એની કૃકૃત્યતા હોય. પોતાના નિરાળા વ્યક્તિત્ત્વને સ્વામીમાં લુપ્ત કરી તેની છત્રછાયામાં રહેનાર સેવિકાના ગુણધર્મોનું સતી સીતા સમું પાલન એની રગેરગમાં વ્યાપ્યું હોય. આવી ગૃહિણી ચોક્કસ સંસારમાં સ્વર્ગ ઉતારી શકે.

તમારી પત્નીની વર્ષગાંઠ કે તમારી લગ્નતિથીને દિવસે પત્નીને ઉચિત ભેટ આપતા રહેજો. તેના સદગુણો શોધતા રહી તેની કદર કરતા રહેજો. અન્યોની હાજરીમાં તેનો દોષ કાઢી ઉતારી પડવાનું  ગાંડપણ ક્યારેય ના કરશો. તેના થાક, ક્રોધ કે કંટાળાના સમયે મદદ કરતા રહેજો.

લગ્ન થયા પછી પતિ પત્ની અદ્વૈત સિદ્ધ કરે તો ગૃહસ્થાશ્રમ સુખમય થાય છે. જ્યાં ભેદ છે  ત્યાં જ દુખ છે. પતિ પત્નીનો સ્વભાવ એક ના થાય ત્યાં સુધી લગ્નજીવન સફળ થતું નથી.
તન બે પણ મન એક --એનું નામ લગ્ન. પતિપત્ની તનથી બે હોવા છતાં, તેમન સ્વભાવ અને મન એક થાય તો જ સુખ મળે છે.
પતિપત્નીના લક્ષ્ય અલગ હોય તો મતભેદ થાય છે. મતભેદથી મનભેદ થાય છે. મનભેદથી ઝગડા થાય છે  અને ઝગડાથી અશાંતિ થાય છે, ભય થાય છે.

પતિપત્ની એકમેકને ઉજાસ આપે એના જેવો ઉજાસ બીજે ક્યાય નથી.
લગ્ન તો જીવનવિકાસની અને જીવનઘડતરની મોટામાં  મોટી  પાઠશાળા છે. 
દામ્પત્યજીવનમાં એકમેકેન હૂંફ, સહાનુભૂતિ  અને પ્રેરણા આપતા રહેજો...તો એકમેકના સહારે જીવનસંગ્રામમાં  અદભૂત વિજય મેળવી શકશો.
એકમેકના સહારે બળ, ધીરજ  અને  સેવાભાવ કેળવતા રહીને ગૃહજીવન મધુર, પ્રસન્ન  અને પ્રેરણાભર્યું  બનાવી દેજો.


પતિપત્નીના હૃદયની સદભાવનામાંથી જ સંસારનું સ્વર્ગ પ્રગટે છે.


                                                                                            સંપાદન:ભાર્ગવ અધ્યારુ 


રવિવાર, માર્ચ 18, 2012

શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો?

કોઈ વ્યક્તિ એવો દાવો કરતી હોય કે તે અજાતશત્રુ છે, તો તે ભ્રમમાં રાચે છે.  હાલના સંસારમાં ડગલે ને પગલે શત્રુઓ ભટકાઈ જ જાય છે. ધંધા વેપારમાં હરિફાઈનું સ્થાન શત્રુતાએ  લીધું છે. સંસારીઓની  વાત તો ઠીક પણ ભગવા વસ્ત્રધારીઓ પણ બાકાત નથી.
"ક્ષમા વીરસ્ય ભુશ્નમ " ને  નપુંસકતાનો  પર્યાય માનવામાં આવે છે.  હાલના સમયે તો "રોગ અને શત્રુને ઉગતા મારો' એ ઉક્તિ જ યથાર્થ છે. નહિતો , એ તમને મારી નાખશે.


ધ્રુતરાષ્ટ્ર , યુંધિસ્થીરનો યુવરાજ પદે અભિષેક કરે છે. ત્યારબાદ પાંડવોના  શીલ, સદાચાર અને ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ત્યારે ધ્રુતરાષ્ટ્ર  Hypertension અને  Hyperacidity  ના  પેશન્ટ બની જાય છે. જયારે ગભરામણ અને અકળામણ અસહ્ય થઇ જાય છે ત્યારે ધ્રુતરાષ્ટ્ર , એમના લોર્ડ કીસીન્જેર  સમાન રાજનીતીવિશારદ કનિક ને  બોલાવી પોતાનો બળાપો ઠાલવી તેમની સલાહ માંગે  છે.  કનિક ત્યારે ધ્રુતરાષ્ટ્રને સંબોધીને કહે છે:


"રાજાએ હમેશા દંડ દેવા તૈયાર રહેવું જોઈએ અને ભાગ્યના ભરોસે ન રહેતા પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનામાં કોઈ કમજોરી આવવા ન દેવી અને હોય તો ખબર પડવા ન દેવી. બીજાની કમજોરી જાણતા રહેવું. જો શત્રુનું અનિષ્ટ પ્રારંભ થઇ જાય તો તેને વચ્ચેથી અટકાવવું નહિ.  શત્રુને કમજોર સમજી આંખો બંધ કરી દેવી ન જોઈએ. પરંતુ હંમેશા સાવધાન રહેવું."


"શરણાગત શત્રુ પર પણ દયા દાખવવી ન જોઈએ. શત્રુના મંત્ર, બળ, ઉત્સાહ , સહાય, સહાયક, સાધન, ઉપાય, દેશ, કાલ, સામ, દામ, દંડ, ભેદ, માયા, ઇન્દ્ર્જાલના પ્રોયોગો અને ગુપ્ત કાર્યો  રાજ્યના  અંગોને નષ્ટ કરતા રહે છે. જ્યાં સુધી સમય અનુકૂળ ન હોય ત્યાં સુધી શત્રુને ખભા પર બેસાડીને પણ ફેરવી શકાય, પરંતુ પરિસ્થિતિ બદલાતા માટલાની જેમ પટકીને તેને નષ્ટ કરી દેવો જોઈએ. સામ, દામ, દંડ, ભેદ વગેરે કોઈ પણ ઉપાયે પોતાના શત્રુને નષ્ટ કરી દેવો એ જ  રાજનીતિનો  મૂળ મંત્ર છે."


"ચતુર રાજાએ ભીરુને  ભયભીત કરી દેવો, શૂરવીરને હાથ જોડી લેવા, લોભીને કંઈક આપી દેવું અને સમોવાડીયાને તથા નબળાને પરાક્રમ બતાવી વશમાં કરી લેવા.  શત્રુ ચાહે કોઈપણ  હોય, તેને મારી નાખવો જોઈએ. સોગંદ ખાઈને, ધનની લાલચ આપીને , ઝેર આપીને અથવા દગાથી પણ શત્રુને ખતમ કરી દેવો જોઈએ. "


"મનમાં દ્વેષ હોવા છતાં શત્રુ સાથે હસીને વાત કરવી. મારવાની ઈચ્છા રાખીને અને મોતને ઘાટ ઉતારતાં પણ મીઠું જ બોલવું. મારીને કૃપા દર્શાવવી, અફસોસ વ્યક્ત કરવો અને રુદન પણ કરવું. શત્રુની ભૂલ જોતા જ તેની પર ચડી બેસવું. કોઈના પર વિશ્વાસ ન રાખવો.  ભયંકર કામ કરતા પણ વાણીનો વિનય જાળવવો  અને હસીને બોલવું.  પોતાની વાત કેવળ શત્રુથી નહિ પણ મિત્રથી પણ છૂપાવવી.  કોઈને આશા આપવી હોય તો પણ લાંબા ગાળાની આપવી અને પછી વચ્ચે અડચણ ઊભી કરી દેવી. બસ , પછી કારણ પર કારણ ઊભું થતું જાય."


"આ જ બધા ઐશ્વર્યપ્રાપ્તિ ના ઉપાયો છે. આનાથી વધારે હું શું કહું?"


કનિક આ પ્રમાણેની સલાહ આપીને ચાલી  ગયો અને ધ્રુતરાષ્ટ્રની  નિંદ્રા હરામ કરતો ગયો.


કનિકની સલાહ એ દવાનો Heavy Dose છે, જેની Side Effects ડોઝ આપનાર માટે પણ Fatal નીવડી શકે છે.


                                                                                         ભાર્ગવ અધ્યારુ 

સોમવાર, માર્ચ 12, 2012

વેટરની કથા, વ્યથા અને વસિયત

મારું નામ - હલ્દીજી  ધાણાજી પરપોટા 
બાપનું નામ- ધાણાજી  નીમક્જી  પરપોટા 
વતન- ડુંગરપુર 
હાલની ઉમર - લગભગ સાઈઠ


નામને સાર્થક કરે એવો અમારો ડુંગરાળ પરદેશ. ખેતીવાડી, ધંધા- વેપારના નામે મીંડું. અમે બધા રામભરોસે પેદા થયેલા અને રામભરોસે જીવન જીવવાવાળા એટલે ગૃહિણીઓ અમને લાડથી "રામલા" જ કહે. પણ આ રામલા શબ્દની મને ખૂબ જ એલર્જી  કારણકે તેમાંથી 'ગેય' ની બદબૂ આવતી.


 એટલે, મારા બાપુએ, રાયપુર દરવાજા બહાર "જય-વીરુ ટી સ્ટોલ " પર નોકરીએ મૂકી દીધો.ચડ્ડી અને ગંજી પહેરી આસપાસની દુકાનોમાં ચાની કીટલી અને એંઠા અને ગંદા કપરકાબી ખખડાવતા લોકોને ચા પાવા જવાનું.પગાર રોજના પાંચ રૂપિયા અને ચા મફત. આ મફતની ચાના કારણે હું ચાનો ગારાડી બની ગયો અને ભૂખ મરી ગઈ. જે  રોજી મળે તેમાંથી ક્યારેક રાયપુર ભજીયા હાઉસના તીખા તમતમતા ભજીયા ખાઈ રાત્રે લારી ઉપર જ સૂઈ જતો. જો કે એ ભજીયા મને હરસ મસા ની ભેટ આપી. આજની આ મારી નર્તકી જેવી ચાલ તેની જ દેન છે.


એક મારવાડી શેઠ જેમને હું રોજ ચા પાવા જતો તેમની સીફારસથી મને આનંદ હોટલમાં વેટરની નોકરી મળી. મને મારી કરિયરનો પહેલો જમ્પ મળ્યો. ચડ્ડી-ગન્જીનું સ્થાન બ્લેક પેન્ટ અને સફેદ ખમીસે લીધું. મારું પેકેજ બે વખત ખાવા પીવાનું , હોટલમાં રહેવાનું  અને મહિનાનો ત્રણસો રૂપિયા પગાર. ભજીયાનો સ્વાદ લેવા રાયપુર તો જતોજ અને દેસી દારૂની પોટલી પણ ઠોકતો આવતો. મારા બાપુની ગાડી નેરો ગેજમાં જ રહી અને હું બ્રોડ ગેજ વાયા મીટર ગેજ  ચઢી ગયો. કરિયરની સીડીના પગથીયા હું સડસડાટ ચઢતો જ ગયો. હાઇવેની કેટલીય સર્વોત્તમ, સર્વોદય, ભાગ્યોદય, નવજીવન એવા હિંદુ નામ ધરાવતી મુસ્લિમ માલિકોની  હોટલોમાં નોકરી કરતા કરતા  જિંદગીના અનેક પહેલું અહી જોવા મળ્યા.ટ્રક ડ્રાયવર થી લઈને ધનવાન નાબીરોના અનેક ખેલ જોયા.


અરે! આ બધી મથામણ માં  એક વાત કહેવાની તો ભૂલી જ  જવાઈ. એક અખાત્રીજના દિવસે મારા લગ્ન કચોરીના લીલવા જેવી લલી સાથે થઇ ગયા.જેના ફળસ્વરૂપે બે દીકરા નામે હલવો અને હાંડવો તથા દીકરી નામે ખમણી પ્રાપ્ત થયા. ખમણી ના ખમણ  સાથે બાળલગ્ન  કરી નાખ્યા અને  તેને  પાપડી  નામની દીકરી પણ છે. 


ફરી વાતને મૂળ મેનુ પર લાવીએ. મારા અનુભવોના આધારે મને અમદાવાદની  અનેક હોરેલોમાં કામ કરતા કરતા બઢતી મળતી જ  ગઈ. છોકરાઓને ભણાવવા, ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ  પણ નિભાવી.


હવે, મારા અનુભવોનો નિચોડ કહું. ઘણી બધી હોટેલો જે કોમ્પ્લેક્ષ્ માં હોય છે તેને ફરતા ડોક્ટરો ના  દવાખાનાઓ તેજ કોમ્પ્લેક્ષ્ માં હોય છે. "હોમ ટુ હોટેલ અને હોટેલ ટુ  હોસ્પિટલ " એ ઉક્તિ મારા  મગજમાં  બરાબર ઠસી ગઈ છે. ડોક્ટર આંગળીકુમાર છીદ્રકર સુત્રવાળા (PILES  SPECIALIST ) સમગ્ર  હોટેલ ઉદ્યોગના ઋણી છે. ઘણી હોટેલોના SLEEPING  PARTNER  ડોકટરો છે જેના કારણે  તેમના દવાખાનામાં પેશન્ટો સૂતા છે.


 કેટલીક હોટેલોમાં બ્રાઉન અને રેડ ગ્રેવીના બે તપેલા  રાખેલા હોય  છે. ગ્રાહકોએ ખાધા પછી  જે બચે તે ગ્રેવી જે તે તપેલામાં   રીસાઇકલ થતી હોય છે. શહેરની  હોલસેલ  શાક માર્કેટનું  સડવાની રાહ જોતું શાક એ અમારા રસોડાની શોભા. ઢોસા,ઈડલી વિગેરેના ખીરા ગટરમાં રાખીએ જેથી આથો જલ્દી આવે અને અનોખી સોડમ પ્રાપ્ત થાય. રસોડામાં આટો ગુતાદો જુઓ તો નાન, પરોઠા અને રોટી થી  વૈરાગ્ય  આવી જાય. RO ના નામે સાબરકોલા જ પાયું છે. બટર અને ઘીના  બદલે ટેલો પણ વપરાતું જોયું છે, કારણકે શુદ્ધ ઘીના ડબ્બા તો  હેલ્થ ખાતાના અધિકારીઓને ત્યાં પહોચી જતા. કેમિકલ અને  રંગથી ચમકાવેલા  મસાલા  હોટેલોની વાનગીઓને ચમકાવતા. મારા સાથીઓએ  ચાઇનીઝ  હોટેલની ખાદ્ય સામગ્રી  અંગે જે નોલેજ  શેર કર્યું છે તે તો રુંવાડા ઊભા કરી દે તેવું છે. હવે ઝાઝી પોલ ખોલવા જેવું નથી. 


આ ક્ષણભંગુર દેહનો કોઈ જ ભરોસો નથી. જંક ફૂડ, તીસ નંબર બીડી અને  દારૂની પોટલીથી આ કાયા કસમયે  પેથોલોજીનું  મ્યુઝીયમ બની ગઈ છે. મારી પાસે કોઈને ખાસ કઈ આપવા જેવું નથી પણ લોકલાજે વસિયત કરી રહ્યો છું. યુનિફોર્મના કોટ મારા દીકરા હલવાને આપજો  કારણકે  ગાગડું જેવા અવિકસિત હાંડવાને તે રેઇન કોટા જેવા લાગશે. અલગ અલગ હોટેલની ક્રોકરી પર ફક્ત અને ફક્ત  લલીનો  જ  અધિકાર રહેશે. મેં જે ગેરકાયદેસર ત્રણ ખોલી વસાવી છે તે મારા ત્રણ સંતાનોને લલીના મૃત્યુ બાદ જ મળશે. મને ટીપમાં મળેલા રૂપિયા જે મેં એક ગલ્લામાં ભેગા કર્યાં છે, તે મારી ઉત્તરક્રિયા માટે પૂરતા  છે.  મારી સરવણીમાં 'કોહિનૂર' બાસમતી ચોખાના જ  પિંડ બનાવજો. અને ચાંદીની છરી જે હું એક હોટેલમાંથી મારી લાવ્યો હતો તેના વડે જ પિંડ વહેરજો . દશમાંથી માંડી તેરમાં સુધી સગા-વ્હાલને  snacks, north indian, south indian અને લાડુ,વાલ, ફૂલવડી અને દાળ-ભાત જમાડજો. ચીનાઓનું જમણ ક્યારેય નહિ, જો એમ કરશો તો મારો આત્મા અવગતિને પામશે. જમણ બાદ દરેકને digene gel આપજો જેથી ખોરાકની કોઈ વિકલાં થાય નહિ.
"દિલકે અરમાન આસુઓમે  બહ ગયે". કાંદા સમારતાં આંસુઓ સાથે બધા જ અરમાન વહી ગયા છે. હાલ અંતિમક્રિયા વિદ્યુત ભટ્ટી , ગેસ ભટ્ટી થી થાય છે. આશા રાખું છું કે મારા સમયે આવી તંદૂર ભટ્ટી પણ બની ગઈ હોય. મરનેકે બાદ ભી હોટેલકા સાથ ન છૂટે!


મારી ભાષાશુદ્ધિ  અમદાવાદીઓના કારણે છે. અને અંગ્રેજી શબ્દો NRI ની દેન છે.


ઓમ શાંતિ!


                                                                                        ભાર્ગવ અધ્યારુ 









શુક્રવાર, માર્ચ 09, 2012

ખાડિયાનું ખમીર--એન્જીનીયર શ્રી હિંમતલાલ ભચેચ


સાબરમતીના એલિસ’ પુલને સો વર્ષ પૂરાં થયાં ત્યારે વહીવટકારોએ ખ્યાતનામ ઇજનેરોની એક ટીમને પુલની મજબૂતાઇને ચકાસવાતપાસવા આદેશ કર્યો. આમ લોકો પુલની ક્ષમતાને તલેતલ તપાસીને ખાતરી કરો કે એ કેટલો નબળો પડ્યો છે. સો વરસે તો ભલભલાં બાંધકામો ખખડી જતાં હોય છે. એલિસબ્રિજ’ તો લાખો રાહદારીઓનો રાત-દિવસનો રસ્તો છે.
અને નિષ્ણાતોએ શતાયુ એલિસને રિમાન્ડ’ પર લીધો. આજુબાજુઉપર-નીચેદૂરબીનો લગાવીને બાંધકામનો કાંકરે કાંકરો તપાસ્યો. હથોડા મારીને ધબધબાવ્યો પણ કાંકરી ખરી નહીં. દૂધમલિયા જુવાન ગોવાળ જેવો નરવો નકોર એલિસ’ લોંઠકાઇનાં લોકગીત ગાતો બેય કાંઠાને રણકાવતો અડીખમ ઊભો હતો.


એલિસબ્રીજ’ પૂરો સક્ષમ અને અડોલ છે.’ કમિટીએ રિપોર્ટ આપ્યો. એની કાંકરી ખરે એમ નથી.


મારા બાંધકામના પુલની પોપડી ખરે તો હું હિંમતલાલ ધીરજરામ ઇજનેર શાનો! પુલની કાંકરી ખરે તો હું તો મારી ઇજનેરી વિદ્યાનાં પોટલાં સાબરમતીની રેતીમાં દાટી દઉ’ પુલના ઇજનેર હિંમતલાલ ભચેચ છાતી તાણીને બોલતા સંભળાય છે. હું નાગર બચ્ચો છું અને અમદાવાદના ખાડિયાના પાણીની ગળથૂથી પીધી છે.
ગોરી સરકારનાં સેંકડો બાંધકામો સર્જીને ગોરાઓનાં માન-સન્માન અને ચંદ્રકોનાં ઝળાહળાં ઉજાસ વચ્ચેયશકીર્તિના વિમાને ચડીને ૧૯૨૨ની ૩૦મી સપ્ટેમ્બરે સ્વર્ગે સિધાવેલા હિંમતલાલ ભચેચ સાબરના કિનારે ઊભા ઊભા બોલતા હતા. એક સદી પૂર્વેઅંગ્રેજ હકૂમતના વહીવટી અમલદારોએ સાબરમતી પરના પુલના નિર્માણ માટે હિંમતલાલને પસંદ કરવાનું વિચાર્યું હતું.
છતાં હિંમતલાલ દેશી’ ઇજનેર હતા એટલે અંગ્રેજો એને વારંવાર ચેતવતા હતા. મિ.ભચેચ! તમે ખ્યાતનામ ઇજનેર છો એ વાત સાચી પણ આ પુલ આખા ગુજરાતમાં મોટામાં મોટો છે અને પ્રથમવારનો છે. પ્રજાની સલામતી પ્રથમ જોઇએ. વત્તા આયોજન બ્રિટિશ હકૂમતનું છે. પુલના નિર્માણ માટેનો સાડા ચાર લાખનો આંકડો પણ નાનોસૂનો નથી.


મેં દરેક બાબત સમજી લીધી છે. પુલ તૈયાર થાય પછીઆકરામાં આકરી કસોટી કરવાની છૂટ છે.


હિંમતલાલ ઇજનેરના બાંધકામમાં ખામી ન હોય.’ બ્રિટિશ અમલદાર કર્નલ માઇન્સેલ’ અમદાવાદના ગોરા વહીવટકારોને મુંબઇથી ભલામણ કરતા હતા. હિંમતલાલ પાસે કુશળતા અને કરકસર બંને છે.’ આમ છતાં અમદાવાદના અમલદારો હિંમતલાલની તાવણી કરતા હતા:


મિ.ભચેચ! તમારી પ્રામાણિકતા અને કુશળતા માટે અમને માન છેપણ અમદાવાદ જેવી વિશાળ નગરીના બે છેડા સાબરમતી જેવી ધોધમાર નદી પર સાંધવાના છે માટે વિચાર તો કરવો પડે તમારે.


હું વિચાર કરીને જ બોલ્યો છું સાહેબ! ’ ‘વેલ! બાંધકામમાં થાય એટલી કરકસર પણ કરવાની છે.


આપ સાહેબોનો અંદાજિત આંકડો?’


સાડા ચાર લાખનો. કદાચ પાંચ પચ્ચીસ હજાર ઓછાવત્તા. પણ એથી આગળ એક પાઇ પણ નહીં.


ભલે સાહેબ! હું આવતી કાલે જવાબ આપું તો ચાલે?’ હિંમતલાલે મુદત માગી.


હા ચાલે.’ ગોરાઓ સંમત થયા અને એ જ વખતે હિંમતલાલ ઇજનેર અંગ્રેજ કચેરીએથી નીકળીને સાબરમતીના કિનારે આવીને ઊભા રહ્યા. છટકી ગયા મહાશય.
હિંદુવાસીઓ તરફ પૂર્વગ્રહ અને તુચ્છતાનો ભાવ રાખતા બે-ચાર ગોરાઓએ ખિલ્લી ઉડાડી. હિંમતલાલ જેવા દેશીઓનાં ગજાં નથી..! સાબરમતીનો આલીશાન પુલ બાંધવો રમતવાત નથી.


એમ ન માનો. હિંમતલાલને ઓછે આંકે ન મપાય. એ કુશળ અને કુશાગ્ર બુદ્ધિ છે. આપણો માઇન્સેલ એમને મહત્વ આપે છે. અંગ્રેજ ઇજનેરો કરતાં હિંમતલાલ વેંત વધે એવા આવડતદાર છે. ખેડા અને પંચમહાલ જેવી વિકટ ભૂગોળના રસ્તાઓ અને સંખ્યાબંધ સરકારી ઇમારતો બાંધીને એમણે માઇન્સેલ’ જેવા અમલદારનો રાજીપો મેળવ્યો છે. માઇન્સેલ કહે છે કે ગુજરાતનાં એનાં બાંધકામોનો આખા દેશમાં જોટો નથી.
હિંમતલાલની નિમણૂક થઇ. બાંધકામનો બાજંદો માણસ વળતા દિવસે છલકતા આત્મવિશ્વાસે કામે ચડ્યો. બાળપણના ધૂધવાટે ભાંખોડિયાભેર ચાલનાર બાળક હિંમતપિતા ધીરજરામની આંગળીએ વળગીને પોળ ભમવાની બાલેરછાને પૂરી કરે એ પૂર્વે પિતા સ્વર્ગે સિધાવી ગયા.
બે વરસના બાળકની જનેતાએ તે દી’ પોળનાં ઝાડવાં રોપાડાવ્યાં હતાં. પણ આખરે ડાહી નાગરાણીએ આફતને કોઠે નાખી. પુત્રના ઉછેર માટે માએ વાસણ-કપડાંની મજૂરી કરીને પુત્રને ભણાવ્યો. પોળમાં નાગરોની બહોળી જ્ઞાતિએ પણ હૂંફ આપી. હિંમતલાલનું ઇજનેરી ભણતર પૂરું થયું કે અંગ્રેજ સરકારે એને ઓવરસિયરની જગ્યા આપી.
હિંમતલાલે અથાક મહેનતપ્રામાણિકતા અને સાદગીથી ઊચાઇનાં પગથિયાં ચડવા શરૂ કર્યાં. છેવટે સાબરમતીના વિશાળ પુલનો એ નિર્માતા બન્યો. ઇજનેર હિંમતલાલે નદીમાં જ ટેન્ટ’ બનાવીને રાત-દિવસ નિવાસ કર્યો. ગોરી સરકારનો માનીતો ઇજનેર હાથે રસોઇ બનાવે અને વાસણ-કપડાં પણ હાથે ધુએ.
હર પળે એની સતત હાજરી. રૂપિયો ખર્ચીને સવા રૂપિયાનું કામ થાય એ એની નિયત. આખરે પુલ પૂરો થયો. તે સમયના અંગ્રેજ કમિશનર સર બરો હબૈટ એલિસના નામથી પુલને એલિસબ્રિજ’ નામ આપ્યું. પુલના ખર્ચના આંકડા રજૂ થયા. હિંમતલાલ ઇજનેરે સાડા ચાર લાખના બજેટ સામે માત્ર અઢી લાખમાં એલિસબ્રિજ બાંધી આપ્યો.
હિંમતલાલની કુશળતા અને પ્રામાણિકતાની ચારેકોર ઝાલરો વાગી ગઇ! મુંબઇ સરકારે હિંમતલાલને માનપાનથી રોકી લીધા. હિંમતલાલે મુંબઇ સરકારના બાંધકામ ખાતાના સચિવ ટી.ડી. લિટલના હાથ નીચે વીસ વર્ષ કામ કર્યું.
એમના બાંધકામની ચીવટનિષ્ઠા અને આગવી દ્દષ્ટિથી હકૂમત પ્રભાવિત થઇ અને ભારતના તે વખતના વાઇસરોય ગવર્નર જનરલે ૩જી જૂન ૧૮૯૩માં હિંમતલાલ ધીરજરામ ભચેચને રાવ બહાદુરનો ઇલકાબ આપીને દિલ્હી દરબારમાં તેમનું બહુમાન કર્યું. નિવૃત્ત થયા પછી હિંમતલાલને અમદાવાદ મ્યુનિ.માં પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા.
તેમના પ્રમુખપણા નીચે અમદાવાદની સુપ્રસદ્ધિ ઇમારતોનું નિર્માણ થયું. ગુજરાત કોલેજગુજરાત કલબશાહીબાગની કેટલીક સુંદર ઇમારતોકાલુપુર સ્ટેશન સામેની ભાઇશંકર ધર્મશાળા તેમની ઇજનેરી કુશળતાના ઉત્તમ નમૂના છે. રેલવે બોર્ડના ડાયરેક્ટર બનીને અમદાવાદ- ધોળકા રેલવે માર્ગ કંડાર્યો. બંગાળમાં પણ તેઓની કુશળતાનો લાભ અંગ્રેજોએ લીધો.
ખાડિયાના આ સપૂતે સંખ્યાબંધ માનસન્માનોચંદ્રકો અને યશકીર્તિના ઝળાહળા ઉજાસ વચ્ચે ૧૯૨૨ની ૩૦મી સપ્ટેમ્બરે ધરતી પરથી વિદાય લીધી. અમદાવાદી નગરી અને ખાડિયાની ધરતીના એ ટુકડાએ આંસુનાં તોરણ બાંઘ્યાં.

વિશેષ:
સમય જતાં એલિસબ્રીજની બંને બાજુ બે નવા પુલ નિર્માયા અને એની લોકાર્પણની વિધિ અડવાણીજીના હાથે રખાયેલી. અડવાણીજીએ માનભેર હિંમતલાલ ઇજનેરને યાદ કરીને ૧૯૯૫માં રાવ બહાદુર હિંમતલાલ ભચેચના નામની તકતી મુકાવી હતી.

                                                                       ભાર્ગવ અધ્યાર

સાભાર: શ્રી નાનાભાઈ જેબલિયા, તોરણ, ૨૭.૧૦.૨૦૦૯ 

સોમવાર, માર્ચ 05, 2012

પ્રહલાદ્જીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ

                                    હોળીના હહેવારમાં ભક્ત પ્રહલાદ કેન્ર્સ્થાને છે.


                                   પ્રહલાદના પિતા હિરણ્યકશિપુંના વધ માટે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું  હતું. હિરણ્યકશિપું ના વધ બાદ ભગવાનનું આ રૂપ અત્યંત વિકરાળ અને ભયંકર લાગતું હતું. દેવો, ગાંધર્વો, ઋષિઓ, કિન્નરો ઈત્યાદિ સર્વે એ  ભગવાનને શાંત પાડવા અને મૂળ સ્વરૂપે દર્શન આપવા ઘણી સ્તુતિ કરી પરંતુ નરસિંહ ભગવાનના ક્રોધાવેશને ન તો શાંત કરી શકયા કે ન તો તેમની પાસે જઈ શક્યા. તે સમયે બ્રહ્માજીના આગ્રહથી પ્રહલાદે નરસિંહ ભગવાનની સ્તુતિ કરી જે અહી સંક્ષ્પિત રૂપે પ્રસ્તુત છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતાં કહે છે-


                                   " હું સમજું છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, જ્ઞાન અને યોગ-આ બધા જ ગુણ પરમપુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાને  સમર્થ નથી. પરંતુ ભક્તિ આપને અત્યંત પ્રિય છે."


                                   " ભગવાન કરુનાવાશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે. જે ભક્ત ભગવાન પ્રત્યે સમ્માન વ્યક્ત કરે છે તે સ્વયમ સમ્માનિત થાય છે. આપની મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે  કે અવિદ્યાને લીધે સંસારના ચકરાવામાં પડેલો જીવ તત્કાલ  પવિત્ર થઇ જાય છે."


                                  "જે  અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે તો હણાઈ ચૂક્યો છે. હવે આપ આપનો ક્રોધ શાંત કરો. જેમ ઉપદ્રવ કરનારા વીંછી  અને  સાપના મરવાથી સજ્જનો પણ આનંદિત જ  થાય છે તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે, બધા આપના શાંત સ્વરૂપને નીરખવા ઈચ્છે છે."


                                  " હું ઉગ્ર અને અસહ્ય સંસારચક્રમાં પીસાવાથી ભયભીત છું. હું પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હે મારા સ્વામી! આપ પ્રસન્ન થઈને મને ક્યારે  આપના ચરણકમળમાં બોલવી લેશો? કારણકે, આપના ચરણકમળ  સમસ્ત જીવોનું એક માત્ર શરણ અને મોક્ષ - સ્વરૂપ છે."


                                   " હે પ્રભુ! આપ અમારા પ્રિય અને આરાધ્ય છો. સંસારના દુઃખોને દૂર કરવાના અનેક ઉપાયો છે. પણ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાયો સુખી કરી શકતા નથી. સંસારના વિઘ્નો આપના ભક્તનું કંઈ બગાડી શકતા નથી.  આ સમગ્ર  વિશ્વ આપનું જ  સ્વરૂપ છે. આ વિશ્વના પ્રેરક પણ આપ જ છો. મન, દશ ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ - આ સોળ આરાવાળા સંસારચક્રમાં  પીલાવાથી આપ  મને બચાવી લો. હું આપના શરણે આવ્યો છું."


                                  " બ્રહ્મલોક પર્યંતના આયુષ્ય, લક્ષ્મી, ઐશ્વર્ય અને ઇન્દ્રિયભોગોની હું ઈચ્છા રાખતો નથી. વિષય ભોગો મૃગજળ જેવા તદ્દન મિથ્યા છે. આ શરીર જેનાથી ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગણિત રોગોનું ઉદગમસ્થાન છે. આપ સૌના આત્મા અને અકારણ પ્રેમી છો. કલ્પવૃક્ષ સમાન આપનો કૃપાપ્રસાદ  પણ સેવા - ભક્તિથી  જ  પ્રાપ્ત થાય છે."


                                  આ પ્રમાણે ભક્ત પ્રહલાદે ઘણા પ્રમથી પ્રકૃતિ અને પ્રાકૃત ગુણોથી  રહિત ભગવાનના સ્વરૂપભૂત ગુણોનું વર્ણન કર્યું  અને ત્યારબાદ તેઓ ભગવાનના ચરણોમાં માથું  નમાવીને ચૂપ થઇ ગયા. નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો અને પ્રહલાદને " તારું કલ્યાણ થાવ" એવું વરદાન આપ્યું.


                                                                                         ભાર્ગવ અધ્યારુ.


સંદર્ભ: અધ્યાય ૯, સ્કંદ ૭. શ્રીમદ ભાગવત.

રવિવાર, માર્ચ 04, 2012

RUCHA: INSPIRING INDIANS-----1

RUCHA: INSPIRING INDIANS-----1: Dr. Prathap C. Reddy Dr. Prathap C. Reddy, 75, is a doctor and businessman who founded the first corporate hospitals in India, the Apo...

INSPIRING INDIANS-----1

Dr. Prathap  C. Reddy

Dr. Prathap C. Reddy, 75, is a doctor and businessman who founded the first corporate hospitals in India, the Apollo Hospital Group. He is the Executive Chairman of company.

He got his medical education and training in India and USA, and after a few years of practice he saw the obvious absence of world class facilities and established the first Apollo Hospitals in Chennai in 1983. Over the years he has been able to attract the best medical talents to India from all corners of world.

His pioneering approach  and tireless efforts have continued significantly to  the emergence of  the private health care sector in India. For this he got recognition and was honoured with the Padma Vibhushan in 2010.

Healthcare has been always associated either with government's responsibility or of charity organization  and " profit is a dirty word " which was associated with healthcare. Today the medical scenario is almost getting as good as anywhere else in the world and he is one tall figure among pioneer entrepreneurs in the medical field.

The group has now passed on to the second generation where his eldest daughter Sangeeta, 48, has become a torch bearer along with her three sisters. All his daughters are well qualified  and are professionals to the core, which is also a new healthy trend in our country.

Today the group's turnover is approximately Rs.2332 crore and net worth of Rs. 1772 crores and is managing nearly 53 hospitals in India and abroad. The share price as on 03.03.2012 is Rs.571.20. It has been recognised as " Super brand of India " in the healthcare sector.

                                                                                                             Bhargav Adhyaru

coutsey: Batra  & Batra

શનિવાર, માર્ચ 03, 2012

RUCHA: કલિયુગનો કહેર

RUCHA: કલિયુગનો કહેર: એક અતિ પ્રચલિત ઉક્તિ " કલિયુગ હજુ ભાખોડિયા ભરી રહ્યો છે." હવે સમય સાથે, તેની ઉમર જેમ જેમ વધતી જશે તેમ તેમ કેવો કાળો કેર વરતાવશે અને કકળાટ ન...

કલિયુગનો કહેર



એક અતિ પ્રચલિત ઉક્તિ " કલિયુગ હજુ ભાખોડિયા ભરી રહ્યો છે." હવે સમય સાથે, તેની ઉમર જેમ જેમ વધતી જશે તેમ તેમ કેવો કાળો કેર વરતાવશે અને કકળાટ નો દાવાનળ સમાજને કેવો ભસ્મ કરશે તેનું નિરૂપણ કરવાની અહી ચેષ્ટા કરી છે.




જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા આયુ, બળ અને સ્મરણશક્તિનો અભાવ વધતો જશે.કળિયુગમાં જેની પાસે ધન હશે, એને જ લોકો સારા કુળવાળા, સદાચારી અને સદગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાની ગુલામ બનાવી દેશે.કલિયુગમાં ધન પર જ મનુષ્યોનાં જન્મ, આચાર તથા ગુણો નિર્ભર રહેશે, બાહુબળ જ ધર્મ, ન્યાય અને નીતિનો નિર્ણય કરશે.


સ્ત્રી તેમજ પુરુષના વિવાહ એકબીજાના આકર્ષણને કારણે જ થશે. એમાં કુળ, ગોત્ર, શીલ, શિક્ષણ, વ્યવહાર વગેરેનો કોઈ પ્રભાવ નહિ રહે.લગ્ન માટે કુળ, ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહિ આવે, છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચી થી જ લગ્ન કરી લેશે. "ડેડા હું જરાક પરણીને આવ્યો." એવા ફિલ્મી ડાયલોગ સાંભળવા સહજ થઇ જશે.સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા (રતિકૌશલ) બની રહેશે.લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે. શાસ્ત્રવિધિ–વિધાન, સંસ્કાર આદિની નનામી નીકળી ચૂકી હશે. વાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે. બાકી બીકીની સાથેનું સૂર્ય સ્નાન દરિયા કિનારે કરવા લોકો ગોવા અને કેરળના કોવાલમ બીચ સુધી લાંબા થશે. પોતાની ઔલાદ જાઈજ છે કે નાજઈજ એવી શંકા ઉદભવતા DNA TEST ફરજીયાત બની જશે.




વ્યવહારમાં લોકો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તે. જેને જેટલું છલ-કપટ કરતાં આવડશે, એને લોકો એટલો વધારે હોંશિયાર ગણશે.ઉપરાંત પોતાના બચાવમાં શ્રીમદ ભગવત ગીતાના શ્લોક નો રેફરેન્સ આપશે " છલાનામ દ્યુતોસમી."લેવડદેવડના વેપારમાં પ્રપંચ જ મુખ્ય રહેશે.




કેવળ માત્ર જનોઈ પહેરવાથી જ બ્રાહ્મણ રૂપે પરિચિત થશે. ઘણું બોલવું તે જ પંડિતાઈ ગણાશે. દંભ જ સજ્જનપણાનું લક્ષણ ગણાશે. નામ-યશ માટે ધર્મનું આચરણ કરવામાં આવશે.

વસ્ત્ર, લાકડી, કમંડળ – જેવા બાહ્ય દેખાવ બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે. એકબીજાના વેશ અને ચિન્હો બદલવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે. જે લાંચ આપવામાં કે પૈસાખવડાવવામાં અસમર્થ હશે એને કોર્ટ (અદાલત) તરફથી બરાબર ન્યાય નહીં મળે. જે બોલવા-ચાલવામાં જેટલો પાવરધો અને ચાલક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે.


કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ ગણાશે. જે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન સમજશે.લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (માતા-પિતા તીર્થ સમાન છે.) એની લોકો ઉપેક્ષા કરશે.
વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે."दामिनी दमक रही घन माहि, खलकी प्रीत जथा थिर नहीं." રામચરિત માનસ.


લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવા કારણે શ્માંશાનવત, સૂના-સૂના અને ભેંકાર થઈ જશે.


કળિયુગનો અંત આવતા સુધીમાં મનુષ્યોનો સ્વભાવ ગધેડા જેવો દુ:સહ્ય બની જશે, લોકો માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષયી (ભોગી) બની જશે.


કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્ય, દયા, તપ અને દાન નષ્ટ થઈ જશે અને એના બદલે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ ની બોલબાલા રહેશે.


સંન્યાસી ધનના અત્યંત લોભને વશ આશ્રમ,મઠ અને મંદિરને દુકાન બનાવી દેશે અને તેમની કામલીલાઓ અખબારના હેડિંગમાં છપાશે.


વેપારીઓનું હ્રદય એકદમ ક્ષુદ્ર બની જશે. એ કોડી-કોડી માટે (પૈસે-પૈસા માટે) લોકો સાથે છલ કરશે. ધન માટે પોતાની બેન અને બૈરીની પણ બોલી લગાવશે.

મિત્રતા અને સદભાવના દફન થઇ જશે. દરેક વાતે પરસ્પર વિરોધ અને ક્રોધ અતિ સામાન્ય બની જશે. ક્ષુલ્લક કારણ સર હત્યા સુધી મામલો પહોચી જશે.




વધુને વધુ નટીઓ ક્રિકેટ ટીમો ખરીદશે અને આપણા કહેવાતા જાંબાઝ અને મર્દ ખેલાડીઓની વેશ્યાની જેમ જ હરાજી કરશે. બીકાઉ ક્રિકેટરો પોતાનું ખમીર અને ખાનદાની ગુમાવી વેહલા વૃદ્ધ થઇ જશે.




અને ....યમનો ભય લોકો હજમ કરી જશે. જોકે મહદ અંશે આજેય એવું તો છે જ!




તો પ્રભુ "संभवामि युगे युगे" નો વાયદો પાળવા ક્યારે પૃથ્વી પર પધારો છો?




ભાર્ગવ અધ્યારુ

+91-9825038089